



જળ, જમીન અને વાયુ કુદરતે બક્ષેલ અનુપમ ભેટ છે. ભારતીય સંસ્કૃતિને ધબકતું રાખ્વા આ૫ણા ખેતી પ્રધાન દેશમાં જળ, જમીનને રક્ષવા નિરર્થક વહી જતા વરસાદની જળસ્ત્રોતોને માનવ સર્જીત ચેકડેમો તળાવોકુવાઓ અને તલાવડીઓ વડે ભરીને પાણીનાં તળ ઉપર લાવીએ સમાજના આર્થિક જરૂરિયાત મંદ નબળા વર્ગના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન અર્થે પરિવર્તનનાં પથ પર સૌને સાથે લઇને કદમ બઢાવીએ
વસુંધરા ટ્રસ્ટ રાજકોટ ૧૯૯૮ થી 'ગ્રામરાજ્ય દ્વારા રામરાજ્ય' અને વિકસિત રાષ્ટ્ર ના નિર્માણનું દિવ્ય સ્વપ્ન સાકાર કરવા 'જનસેવા એ જ પ્રભુસેવા' ના મંત્ર ને કેન્દ્ર માં રાખી જળસંચય, વનીકરણ, પર્યાવરણ જાળવણી, આરોગ્ય, ખેતી, શિક્ષણ, નેતૃત્વ વિકાસ, મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્ર ભાવનાનાં કાર્યો અવિરત કરી રહેલ છે.